સુવિચારો
• નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.
• શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
• શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
• શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
• શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે.
• બાળકોને શાબાશી, પ્રશંસા
અને પ્રોત્સાહનની જરૂર છે.
• બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.
• સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.
• હું કદી શીખવતો નથી, હું
તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
• શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.
• તમે ન બોલો તમારા કામને બોલવા દો.
• જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.
• ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.
• પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.
• બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.
• બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.
• દરેક બાળક એક કલાકાર છે.
• વિચાર કરતાં જ્ઞાન સારુ.
• બધુ જ પરિવર્તનશીલ છે, કશું
પણ સ્થિર રહેતું નથી,
• વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે
ભયજનક છે.
• તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.
• તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.
• જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
• મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ,
• જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.
• ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
• .વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
• .ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
• .સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે
છે.
• .બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
• .આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું
વધુ સારુ છે.
• .એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે
પ્રાર્થના.
• .આજની મહેનત આવતી કાલનું પરીણામ.
• .દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ
લાગતાં હોય છે.
• .સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.
• .નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો
છે.
• .સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ
કે ઓછું કોઇને મળતું નથી.
• .સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.
• .આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.
• .વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે
ચાવીરૂપ છે.
• .દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
• .નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની
નિશાની છે.
• .સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
• .એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
• .કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી
નિષ્ફળ જતાં નથી.
• .અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય
અલ્પજીવી હોય છે.
• .પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
• .ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.
• .જીવન સંઘર્ષનું બીજું નામ છે.
• .જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.
• વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી
ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે.
• ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે.
• કુવા હોય તો હવાડામાં આવે એ
બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !
• સાચું બોલવાની પણ એક રીત હોય છે.
તે એવી રીતે બોલાવું જોઈએ કે તે
અપ્રિય ન બને.
–મોરારજીભાઈ દેસાઈ
–મોરારજીભાઈ દેસાઈ
• મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.–કબીર
• જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ
માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
–ડબલ્યુ એમ. ઈવાર્ટસ
–ડબલ્યુ એમ. ઈવાર્ટસ
• બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો
ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
–ચાણક્ય
–ચાણક્ય
• પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ
પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
–વેન્ડેલ ફિલિપ્સ
–વેન્ડેલ ફિલિપ્સ
• હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના
કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
–સ્વામી વિવેકાનંદ
–સ્વામી વિવેકાનંદ
• બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા
માણસોમાં નજરે પડે છે.
–ડેલ કાર્નેગી
–ડેલ કાર્નેગી
• સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
–ખલીલ જિબ્રાન
–ખલીલ જિબ્રાન
• કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને,
વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.–જે. કૃષ્ણમૂર્તિ
• જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા
તેની દાસી છે.–દયાનંદ સરસ્વતી
• આયુ,
કર્મ, સંપત્તિ, વિદ્યા
અને મરણ આ પાંચ –
જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.–ચાણક્ય
• જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?–બબાભાઈ પટેલ
• પ્રભુ છે અને સર્વત્ર છે.
આ તથ્ય આપણે બોલીએ તો છીએ,
પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.–રવીન્દ્રનાથ ટાગોર
• જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.–ગુરુ નાનક
• માણસ ચંદ્ર લગી પહોંચ્યો.
પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.–ઉમાશંકર જોશી
• કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી
અપેક્ષાઓ જ વધારે હોય છે.–હરીન્દ્ર દવે
• જે મિત્ર નથી,
તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને
છે.–ડૉંગરે મહારાજ
• ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ
માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.–થોમસ પેઈન
• ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?–રવીન્દ્રનાથ ટાગોર
• હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી
જાય છે.–આલબર્ટ આઈન્સ્ટાઈન
• જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી
નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.–શ્રીમદ્ રાજચંદ્ર
• આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત
છે.
–લાઈટૉન
–લાઈટૉન
• મારુ જીવન એજ મારો સંદેશ છે.
• .બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
• .શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન
છે.
• .વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે
સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.
• .કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર
એ કેળવણીની એક શાખા છે.
• ..જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને
સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.
• .વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન
નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
• .જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને
ત્યાગથી પ્રાપ્ત થાય છે.
• .પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત
શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
• .માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે
ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.
• .જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે
સ્મિત તો કરો જ.
• .એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે
તે કિંમતે ખરીદી શકાશે નહી.
• .સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય
છે.
• .બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
• .ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક
બીજું કોઇ નથી.
• .સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.
• .વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ
વસ્તુ નથી.
• .જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
• .સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ
પગથિયું છે.
• .ઇર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
• .નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
• .ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને
સત્કર્મનો પાયો સત્ય છે.
• .સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે
સંજોગોનું સર્જન કરો.
• .બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.
• .કોઇકની મહેરબાની માગવી એટલે આપણી
સ્વતંત્રતા વેચવી.
• .જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.
• .મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ
કૈંક હું જિંદગીમાં.
• .દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર
રહેવું જોઇએ.
• .એક આંગણું આપો, આખું આભ નહિ માગું.
• .અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.
• .મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.
• .સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે, ગુલામી તેની શરમ છે.
• .પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.
• .આજના વિચારો આવતી કાલે બોલો.
• .તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક
છે.
• .સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.
• .સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે
છે.
• .હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં
ધિક્કારે છે.
• .કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી
મહત્વનું અંગ છે.
• .આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને
ભારરૂપ હોય છે.
• .સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
• .માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
• .બાળકો પ્રભુના પયગંબરો છે.
• .બાળકો રાષ્ટ્રનું સુકાન છે.
• .શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું
છે.
• .ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.
• .કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી
મહત્વનું અંગ છે. .આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
• .સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
• .માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
• .બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું
રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.
• જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.
• .ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ
વિશેષ શિતળ હોય છે.
• .સમય કિમતી છે, પણ સત્ય તો એથી વધુ કિમતી છે.
• .જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.
• : લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.
• દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ
દિલમાં શું હતું એ જોવાનું છે.
–ફાધર વાલેસ
–ફાધર વાલેસ
• આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.
–સંત તુલસીદાસ
–સંત તુલસીદાસ
• બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે
ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
–વિનોબાજી
–વિનોબાજી
• વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની
પેદાશ છે.
–શ્રી મોટા
–શ્રી મોટા
• જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે.
ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર
શું છે ?
–શેખ સાદી
–શેખ સાદી
• મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત
વધારે છે ?
–ગોનેજ
–ગોનેજ
• આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ
તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે
જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.
–સ્વેટ માર્ડન
–સ્વેટ માર્ડન
• જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.
–ધૂમકેતુ
–ધૂમકેતુ
• કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ
માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.
–ગોલ્ડ સ્મિથ
–ગોલ્ડ સ્મિથ
• ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.
–પ્રેમચંદ
–પ્રેમચંદ
• દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે
આશા ખોઈ નથી.
–રવીન્દ્રનાથ
–રવીન્દ્રનાથ
• ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે.
કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.
–રહીમ
–રહીમ
• ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને,
ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
–ગાંધીજી
–ગાંધીજી
• જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.
–કાંતિલાલ કાલાણી
–કાંતિલાલ કાલાણી
• મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને
પ્રેમનું ફળ સેવા.
–મધર ટેરેસા
–મધર ટેરેસા
• માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને
સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ.
–ફાધર વાલેસ
–ફાધર વાલેસ
• મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે.
તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો
સારો છે.
–રવીન્દ્રનાથ ટાગોર
–રવીન્દ્રનાથ ટાગોર
• તારું જો કશું યે ના હોય તો છોડીને આવ તું,
તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું !
–રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
–રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
• જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે,
તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.
–એડવિંગ ફોલિપ
–એડવિંગ ફોલિપ
• કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની
ખાસ તકેદારી રાખવી જોઈએ.
–મોરારજી દેસાઈ
–મોરારજી દેસાઈ
• હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના
તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.
–ચાલટેન હેસ્ટન
–ચાલટેન હેસ્ટન
• માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે
તેમાં છે કે તે શું બની શકે તેમ છે.
–ડૉ. રાઘાકૃષ્ણન
–ડૉ. રાઘાકૃષ્ણન
• વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું
અવસાન છે.
–વિલિયમ જેમ્સ
દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
–લોકમાન્ય ટિળક
–વિલિયમ જેમ્સ
દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
–લોકમાન્ય ટિળક
• દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ
દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.
–ધૂમકેતુ
–ધૂમકેતુ
• આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય
છે.
–જોન ફ્લેયર
–જોન ફ્લેયર
• જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન
પ્રગટ થાય છે.
–શંકરાચાર્ય
–શંકરાચાર્ય
• જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે
જિંદગી લાંબી લાગશે.
–શ્રીમદ્ રાજચંદ્ર
–શ્રીમદ્ રાજચંદ્ર
• ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની
ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ?
–કવિ કાલિદાસ
–કવિ કાલિદાસ
• .મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા
ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી.
Suvichar Video
2.
3
4
5.
6.
7.
8.